મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

શિવ તાંડવ ગુજરાતી અનુવાદ

*જટાટવીગલજ્જલ પ્રવાહ પાવિતસ્થ લે,* *ગલેવલમ્ય લમ્બિતાં ભુજંગતુંગ માલિકામ્‌* *ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદ વડ્ડમર્વયં, ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ* અર્થ: સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત કરે છે, જેમના ગળામાં લાંબા લાંબા સાપોની માળાઓ લટકી રહી છે, તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, તે શિવજી અમારૂ કલ્યાકણ કરેં. *જટાકટાહ સંભ્રમભ્રમન્નિલિંપ નિર્ઝરી, વિલોલ વીચિ વલ્લરી વિરાજ માન મૂર્ધનિ*  *ધગ્દ્ધગદ્ધગજ્જ્વલ લલ્લલાટ પટ્ટ્ટપાવકે, કિશોર ચંદ્ર શેખરે રતિઃ પ્રતિક્ષણં મમં* અર્થ: ખુબ જ ગંભીર ઘટારૂપ જટામાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી દેવનદી ગંગાજીની ચંચળ લહરો જે શિવજીના શીશ પર વહી રહી છે તેમજ જેમના મસ્તરકમાં અગ્નિની પ્રચંડ જ્વાજળાઓ ધધક કરીને પ્રજ્વતલિત થઈ રહી છે, એવા બાલ ચંદ્રમાથી વિભૂષિત મસ્તકવાળા શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધતો રહે. *ધરાધરેંદ્ર નંદિની વિલાસ બંધુ બંધુર, સ્ફુષરદ્દિગન્ત સન્તતિ પ્રમોદ માન માનસે* ।  *કૃપાકટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપદિ, ક્વચિદ્વિગંબરે મનો વિનો...

બાવીસી માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ

~ જામજોધપુર પાસે કોટડા બાવીસી મંદિરે ભવ્‍ય મંદિરમાં ખાંભીરૂપે માતાજી બિરાજે છે. બાવીસ ચારણ કન્‍યાઓ સાથે ઢોલી મીર અને અન્‍ય બે સ્ત્રીઓની પણ ખાંભી છે. માતાજી અનેક પરચા આપે છે, વેણુના ઘુઘવતા જલ સામે ભકિતરસ પણ ઘુઘવે  ભારતમાતાનાં કરકમલોમાં શ્રીફળ પેઠે સોહતું સૌરાષ્‍ટ્ર, સંતો, સતીઓ, સાવજો, શૂરાઓની ભલી ભોમકા છે. ખમીર, ખુમારી, ત્‍યાગ, ટેક, બલીદાન, સમર્પણની ભાવના અહીં પરંપરામાં ઝળહળતી રહી છે. સત્‌ને ખાતર હાથ, પગ, ધડનો ત્રિભેટો થઈ, ખાંભી થઈ ખોડાઈ જનારા, પાળીયા બનીને પૂજાનારા, આભને થોભ દે તેવા અડીખમ આદમીઓ આ ધરતીએ આપ્‍યા છે. સૌરાષ્‍ટ્રનાં ગામે ગામ ખાંભીઓને પાળીયા હશે, સૌરાષ્‍ટ્રની બહાર આખી પૃથ્‍વી પર બીજે કયાંય નહીં હોય ! – આ પવિત્ર ભૂમિમાં સદીઓથી શ્રદ્ધાનાં પ્રતિક સમા જીવતા સ્‍થાનો આવેલા છે.  જામનગર જીલ્લાના જામજોધપુરની ઉગમણી દિશાએ ત્રણ કિલોમીટર દૂર કોટડા ગામ. પંખીનાં માળા જેવા આ ગામને અડીને વેણુ અને ફુલઝારનો સંગમ થાય છે. આ નદીના પૂર્વ કાંઠે એક જમાનામાં લાખણશીના ટીંબા તરીકે પ્રખ્‍યાત ટેકરી પર હાલ શ્રી બાવીસી માતાજીનું ભવ્‍ય મંદિર અને રળીયામણું પરીસર આવેલા છે. તો ચાલો જાણીયે આ બાવીસી ...

સ્ત્રીઓ દેદો શા કારણે કુટે છે....તેનાં પાછળ એક આહીરનો ભવ્ય ઇતિહાસ

મોળાકત વ્રત માં શા માટે દેદો કુટવામાં આવે છે..? નથી જાણ તો જાણો આ વાર્તા દ્વારા. સુલતાન મહમદ બેગડાએ ઈ.સ. 1468 મા જુનાગઢ પર ચડાઈ કરતાં રા'માંડલીકે તેનો એક વિર પુરુષની જેમ મુકાબલો કર...

વિર રામવાળાનાં દુહા અને સપાખરૂ ગીત

                  વીર રામવાળાના દુહા અને સપાખરૂ ગીત             ÷÷÷÷÷÷÷∆∆∆∆∆÷÷÷÷÷÷÷÷÷ ધાનાણી ધીંગાણું કર્યું, ખેચીને હાલ્યો ખાગ, પાછો ન ભરીયો પાગ, તે રણને ટાણે રામડા ! પગ પાક્યો પીડા વધી, ભડ બોરીયેગાળે ભેટ્યો, હજુ એકે ડગ ન હટ્યો, તું રણને ટાણે રામડા ! પગ એક પાંગળો, અધર ભડાકો એક, (તોય) ઠાવકી મારી ઠેક, તે રણને ટાણે રામડા ! ધાનાણી તે ધિબીયા , બાપ ને બેટો બે, તુને નડતા તે, રાખ્યા તળમાં રામડા ! ધારી અમરેલી ધૃજે, થર થર ખાંભા થાય, દરવાજા દેવાય, રોંઢે દિ’ એ રામડા ! ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ, ખેપટ જાય ખુરસાણ, કાળપૂંછા બીયા કાળાઉત ! વાટકી જેવડી વાવડી, રાવણ જેવડો રામ, ગાયકવાડી ગામ, રફલે ધબેડે રામડો ! શક્તિ સૂતી’તી સોચમાં , આપ્યો નો’તો આહાર, તરપત કરી તરવાર, રગત પાઈને રામડા ! ગઢ જુનો ગિરનાર, ખેંગારનો શ્રાપેલ ખરો, સંઘર્યો નહીં સરદાર, (નકાં) રમત દેખાડત રામડો ! અંગ્રેજ જરમન આફળે, બળીયા જોધા બે, ત્રીજું ગર્ય માં તે, રણ જગાવ્યું રામડા !           ...

સરધારની સિંમોઈ (આઈ જીવણી)

આજ તો એવા કુળની વાત કરવી છે કે જેની જીભની એક જ ફૂંકે હિમાલય પણ હલી જાય અને આહીરોના ભાણેજ કહેવાતા એવા મીઠડા કુળની... અને એ કુળ છે ચારણ કુળ! આણંદપુર ભાડલાની પાસે નાનું એવું પણ એક દિવસ બહુ મોટું નામ ધરાવતું વાઘેલા, ઝાલા, ખાચર અને જાડેજાની હકૂમત ધરાવતું સરધાર ગામ વસેલું છે, આ સરધારની પાસે આધીયા ગામના તળાવની પાસેના નેસડામાં ચારણો વસી રહ્યા છે અને સરધારની બજારોમાં કાળા મલીરમાં ગલગોટા જેવી ને ચંપાના ફૂલ જેવા ઉજળા વાનવાળી અને સપ્રમાણ ઘાટીલી દેહધારી ચારણયાણીઓ વારંવાર ઘી વેચવા આવતી અને ગામને દૂધ ઘીની કદી તાણ આવવા દેતી નહોતી રોજ સવારે ચારણયાણીઓના ઘમ્મર વલોણા સિંહની ડણકની જેમ ગાઉના ગાઉ સુધી ગાજતા સંભળાતા હતા . આ નેસમાં ખાનદાન ચારણ ધાના નૈયા ( મેઘદાન) ભેસોનું જબરું ખાડુ રાખે છે અને તેની રખાવટ અને મીઠપના જેટલા વખાણ કરો એટલા ઓછા છે, આ ધાના નૈયાને ઘેર રૂડી મજાની એક દીકરી છે જેનું નામ છે જીવણી કે સિમોઇ જે રૂપરૂપનો અંબાર છે કે દાડમની કળી જેવા દાંત અને મખમલ જેવી પગની પાનીઓ, કાળી ભમ્મર આંખો, લાલ પરવાળાને શરમાવે એવા હોઠ અને પડછંદ વાહામાં ધુપેલ તેલથી મહેકતો કાળી નાગણ જેવો વાંભ જેવડો ચોટલો છે, જે ક...

પાળીયાનાં પ્રકાર

*પાળિયા ના પ્રકાર :* *ખાંભી:* કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક, *થેસા:* પાળિયા નજીકના નાનાં પથ્થરો, *ચાગીયો:*  પત્થરોના ઢગલા, *સુરાપુરા:* અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ. *સુરધન :* આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે. *યોદ્ધાઓના પાળિયા:* આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ. આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હ...