ભડલીવાક્યો : ભડલી - ખેતી અને વરસાદ સબંધી વાતો ભડલી વાક્ય એટલે શું? ભડલી કોણ હતા ? ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ.. વાયુચક્રશાસ્ત્રના આવા મહાન પંડિત ભડલી (ભડ્ડરી) કોણ હતા તે વિષે ચોક્કસ-વિશ્વસ્ત માહિતી મળતી નથી. તે ક્યારે અને ક્યા પ્રદેશમાં થઈ ગયા તે વિષે પણ ચોક્કસ પ્રમાણ મળતાં નથી. છતાં આજ સુધીમાં ભડલી વિષે જે હકીકત-દંતકથાઓ વગેરે ઉપલબ્ધ થયેલ છે, તેનો અહીં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે. વરસાદની આગાહી કરતા શાસ્ત્રને ‘ભડલી શાસ્ત્ર’ કહેવામાં આવે છે. પરંતુ, ભડલી એક વ્યક્તિ છે જેના દ્વારા સૌ પ્રથમ ‘ભડલીવાક્ય’ કહેવામાં આવ્યા છે. ભારતીય લોકસાહિત્યમાં અને ગુજરાતની ગ્રામપ્રજાનાં હૈયે ને હોઠે ભડલી વાક્યો બહુ જાણીતા છે. ભડલી ખેડૂત પ્રજાનો માનીતો અને વિશ્વાસપાત્ર જ્યોતિષી છે. તેણે આપેલી વરસાદ અંગેની આગાહી ખેડૂતોનું પુરાણ બની ગઈ છે. તેની સાખીઓ, ચોખાઈ અને કહેવતો લોકજીભે ચડીને અમર બની ગઈ છે. લોકજ્યોતિષી તરીકે ભડલીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પંજાબ પર્યંત તેનું નામ આજેય ગુંજે છે એમ ‘ભડલી વાક્યો’ સંશોધક શ્રી જેઠાલાલ ત્રિવેદી નોંધે છે. ભારત કૃષિસંસ્કૃતિ ધરાવતો દેશ છે. ખેડૂત...
૨૯ જુન એટલે સુર સમ્રાટ પુ. બાપુનો જન્મ દિવસ . નારાયણ સ્વામી ( પૂ..બાપુના જીવન ઝરમર વિશે થોડું જાણીએ ) જન્મ અષાઢ સુદ બીજ , વિક્રમ સંવત ૧૯૯૪ તારીખ ૨૯ જુન ૧૯૩૮ ગામ આંકડીયા , ઢસા બ્રહ્મલીન ૧૬ સપ્ટેમ્બર ૨૦૦૦ રવિવાર , ભાદરવા વદ બીજ વિક્રમ સંવત ૨૦૫૬ માંડવી , કચ્છ બાળપણનુ નામ : શકિતીદાન મહિદાનજી લાંગાવદરા પિતાજીનુ નામ: શ્રી મહિદાનજી લાંગાવદરા માતાજીનુ નામ: શ્રી જીવુબાબેન લાંગાવદરા અભ્યાસ: ૨ ઘોરણ સુધી ગુરુ : પ;પૂ; શ્રી. સરધાર ના મહાન સંતશ્રી હરીહરાનંદજી બાપુ કાઠીયાવાડના ઢસા તાલુકામાં આવેલું દેરડી ગામમાં ઝાપામાં વાવને કાંઠે માતાજી આઈ જાનબાઈમાંની ડેરી છે. ઢસાથી નજીક આંકડીયા ગામમાં માતાજી આઈ જાનબાઈની દશમી પેઢીએ શ્રી મહીદાનજી લાંગાવદરાનો જન્મ થયો શ્રી મહિદાનજીને ભજન, છંદ, દુહા બોલવાનો શોખ હતો. તેમના પત્ની શ્રી જીવુબાબેન ખુબ જ પવિત્ર આત્મા હતા. દેરક કાર્ય ભગવત કિર્તન સાથે પોતાના હાથે કરતા, ગામમાં આવતા સંત સાધુઓ પ્રત્યે જીવુબામાં ને અનોખો ભક્તિ ભાવ હતો. આવા પવિત્ર હૃદયી પુણ્યાત્માને ત્યાં વિક્રમ સંવત ૧૯૯૪ નાં અષાઢ સુદ-બીજ તા. ૨૯-૬-૧૯૩૮ નાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ શક્તિદાન રાખવામા...