મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 2, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભૂપત બહારવટીયો

ભુપતસીંહ ચૌહાણ બહારવટીયો.. (વીર ગુર્જર ક્ષત્રિય - રાજપુત) બહારવટિયો એટલે શું? વટ માટે ઘર, સમાજ અને ગામ સુધ્ધાં છોડી દે અને વટ પૂરો કરવા શાસક સામે હથિયાર ઉપાડે તેને તળપદી કાઠિયાવાડીમાં બહારવટિયો કહેવામાં આવે છે. અત્રે રજુ કરાયેલ સંપૂર્ણ પોસ્ટમાં જાણો, શા માટે લીધું ભૂપતસિંહે બહારવટુ…?, કોણ હતો ભૂપત બહારવટિયો…?, કેવા હતા એના પરાક્રમો…?, શા માટે એને વીસમી સદીનો છેલ્લો બહાદુર કેહવામાં આવ્યો…?, કેવી રીતે ભૂપતથી પ્રજા તથા રાજા-મહારાજા અને અંગ્રેજોની સેના પણ થાકી ગઈ…? ભૂપત બહારવટિયો ‘પાંત્રીસ કે એનાથી મોટી ઉંમરનો એક પણ ગુજરાતી એવો નહીં હોય જેણે ભૂપત બહારવટિયાનું નામ નહીં સાંભળ્યું હોય. એક ગુજરાતી કઈ હદે જઈ શકે એનું જો કોઈ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ ભૂપત હતો. સામાન્ય રીતે ગુજરાતીઓને દાળ-ભાતપ્રિય પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. એવું ધારી લેવામાં આવે છે કે ગુજરાતી પ્રજા ક્યારેય લડતી નથી. અરે, લડવાનું તો ઠીક, લડવાનો સમય આવ્યો હોય ત્યારે પણ પહેલાં સલામત જગ્યાએ પહોંચી જાય એ ગુજરાતી કહેવાય એવું પણ કેટલાક ધારે છે; પણ ભૂપત આ બધાથી વિપરીત હતો. તે લડી શકતો, સામી છાતીએ લડતો અને દિલ ફાડીને...