મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 5, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગંગા અવતરણ

વંશ ગોત્ર – ઈશ્વાકુ વંશ પિતા – રાજા દિલીપ રાજ્ય શાસન – અયોધ્યા અન્ય વિવરણ – ગંગા ભગીરથની પુત્રી હતી એટલે જ એને ભાગીરથી કહેવામાં આવે છે યશકીર્તિ – ભગીરથ પોતાના અતૂટ તપસ્યાના બળથી ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતારી યજ્ઞ – ભગીરથે ૧૦૦ અશ્વમેધ યજ્ઞ પૂર્ણ કર્યાં હતાં અન્ય જાણકારી – સગરના પૌત્ર રાજા ભગીરથે ૧૦૦ અશ્વમેધ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું …….પોતાનાં આ મહાન યજ્ઞ પૂર્ણ થયાં બાદ એમણે ગંગાના કિનારે બે સુવર્ણ ઘાટ બનાવડાવ્યા હતાં. ભગીરથ અયોધ્યાના ઈશ્વાકુ વંશના રાજા હતાં. એ અંશુમાનના પૌત્ર અને રાજા દિલીપના પુત્ર હતાં. સગર પછી એમનો પુત્ર અંશુમાન રાજા થયો અંશુમાન પોતાનાં પુત્ર દિલીપને રાજ્ય ભાર સોંપીને ગંગાને પૃથ્વી પર લાવવાંની ચિંતામાં રહેતાં હતાં. એમણે ઘોર તપસ્યા કરીને પોતાનું શરીર ત્યાગી દીધું. રાજા દિલીપને ગંગાને પૃથ્વી પર લાવવાનો કોઈ માર્ગ સુઝ્યો નહીં અને કોઈ વિચાર એમને એ બાબતમાં સુઝ્યો નહીં અને એમા ને એમાં એ બીમાર પડી ગયાં અને સ્વર્ગ સિધાવી ગયાં. રાજા ભગીરથ સામે પોતાનાં પિતામહનું વચન અમે પોતાના પિતાનું તપ હતું. અને એમણે મનોમન તપ કરવાનો નિશ્ચય કયો !!!! પોતા...