૨૯ જુન એટલે સુર સમ્રાટ પુ. બાપુનો જન્મ દિવસ . નારાયણ સ્વામી ( પૂ..બાપુના જીવન ઝરમર વિશે થોડું જાણીએ ) જન્મ અષાઢ સુદ બીજ , વિક્રમ સંવત ૧૯૯૪ તારીખ ૨૯ જુન ૧૯૩૮ ગામ આંકડીયા , ઢસા બ્રહ્મલીન ૧૬ સપ્ટેમ્બર ૨૦૦૦ રવિવાર , ભાદરવા વદ બીજ વિક્રમ સંવત ૨૦૫૬ માંડવી , કચ્છ બાળપણનુ નામ : શકિતીદાન મહિદાનજી લાંગાવદરા પિતાજીનુ નામ: શ્રી મહિદાનજી લાંગાવદરા માતાજીનુ નામ: શ્રી જીવુબાબેન લાંગાવદરા અભ્યાસ: ૨ ઘોરણ સુધી ગુરુ : પ;પૂ; શ્રી. સરધાર ના મહાન સંતશ્રી હરીહરાનંદજી બાપુ કાઠીયાવાડના ઢસા તાલુકામાં આવેલું દેરડી ગામમાં ઝાપામાં વાવને કાંઠે માતાજી આઈ જાનબાઈમાંની ડેરી છે. ઢસાથી નજીક આંકડીયા ગામમાં માતાજી આઈ જાનબાઈની દશમી પેઢીએ શ્રી મહીદાનજી લાંગાવદરાનો જન્મ થયો શ્રી મહિદાનજીને ભજન, છંદ, દુહા બોલવાનો શોખ હતો. તેમના પત્ની શ્રી જીવુબાબેન ખુબ જ પવિત્ર આત્મા હતા. દેરક કાર્ય ભગવત કિર્તન સાથે પોતાના હાથે કરતા, ગામમાં આવતા સંત સાધુઓ પ્રત્યે જીવુબામાં ને અનોખો ભક્તિ ભાવ હતો. આવા પવિત્ર હૃદયી પુણ્યાત્માને ત્યાં વિક્રમ સંવત ૧૯૯૪ નાં અષાઢ સુદ-બીજ તા. ૨૯-૬-૧૯૩૮ નાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ શક્તિદાન રાખવામા...
Gujrati Sahitya | Apna Purvajo Na Jivan Charitra | ane Satya Ghatna O par aa Blogge che To Pliase Follow karjo Thanks