*રાજભા ગઢવી અને રાજા ચારણનો સંવાદ* રાજભા ગઢવીને એક દિવસ એની અંદર રહેલા રાજા ચારણે પુછ્યુ, "એ રાજભા... ઓળખાણ પડી?, એ તમને કવ છુ, રાજભા ઓળખો છો?," રાજભા એ પણ સાંભળ્યુ કે મારૂ બેટુ અંદરથી કોક અવાજ કરે છે, એટલે એણેય હોંકારો દીધો, " હા... ભા... જે માતાજી, ઓળખુ જ ને, તમે રાજા ચારણ, લીલાપાણી નેહ વાળા" પણ આટલુ સાંભળ્યુને ત્યાં તો ઓલા અંદરના રાજા ચારણને પણ મોજ આવી ગઈ હો..... એને પણ થ્યુ કે " ના... ના.... વિચારતો'તો એવુ કાંઈ નથી, હજી ઓળખે છે, એટલે ઉપાદી નથી" બેયે વાતુ ચાલુ કૈરી અને હું બેઠો બેઠો સાંભળતો હતો, હા બેય એટલે સાહિત્ય કલાકાર શ્રી રાજભા ગઢવી અને એની અંદર રહેલો કવિ રાજો ચારણ, રાજભા એ કીધુ કે " શું હાલે? મોજ ને?" રાજાએ જવાબ દીધો " અરે... શેની મોજ ભાઈ?, મોજ તો બધી ગઈ, આ તમે જે દિ મુકીને ગ્યા ને તે દિ થી મોજ શું ઈ ખબર નથી, વાત જ જાવા દયો, તમે ક્યો તમારે શું હાલે?" વાત કાપી નાખી એટલે રાજભા એ પછી સામુ નો પુછ્યુ કાંઈ, રાજભાએ જવાબ દીધો, " અમારે શું હોય? બસ જો પ્રોગ્રામ કરીયે અને હાલ્યે રાખે, આમથી આમ રોજ દોટુ દીધા કરી...
Gujrati Sahitya | Apna Purvajo Na Jivan Charitra | ane Satya Ghatna O par aa Blogge che To Pliase Follow karjo Thanks