મુખ્ય સામગ્રી પર જાઓ

ગીરનો સિંહ



         લોકસાહિત્યમાં સિંહ (સાવજ)ના દુહા:

હાકલ દીએ હીરણ્યમાં એની રાવળ સુધી રાડય;
સિંહણજાયો છેડતા વડી વમાસણ થાય.

બાકર બચ્ચા લાખ, લાખે બિચારા;
પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા.

જે હાથે હાથી હણ્યા મેડક કેમ હણાય ?
કામિની કહે કંથડા તો તો સિંહણ દૂધ લજાય.

હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજર ફરે,
પછી વયની વાતું નો હોય કેસર બચ્ચાને કાગડા.

ગિર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ,
સાવઝમાં છોગાળો કહું, ચાંપલિયો નરસિંહ.

ભડાં ભડ ભડકી જતાં, ઘટાટોપ ગર્ય ઘીંસ,
વનરાઇયુંમાં વિચરે, ચાંપલિયો નરસિંહ.

પંડ મોટું ને પગ લુલો, તળપે હથ્થા ત્રીસ,
ડણકે ગિરના ડુંગરે, ચાંપલિયો નરસિંહ.

મરદ તને મારવા કંઈ ભટકયા સોરઠ ભૂપ;
ચાંપલિયો સ્વર્ગે ગયો, રૂડી વનરાઈનું રૂપ.

કળજગ આવ્યો ઠાકરો, જગત બધી જાણે,
સાવઝની પથારીએ, શિયાળિયા મોજું માણે.

સાદુળા જે સિંહ, છ મહિના છોડે નહી; દાતા એના દિહ, જીવો એ ઝાઝું જાણજો.

ગજ હણવાના ગર્વથી, અધિક કરે ઉતપાત,
સાવજ તું શૂરો ખરો, તદપિ તામસ તાત.

ભડ કેસર ને ભૂટિયો, બે આવ્યા બાથે,
પડ લીધા પૃથ્વી તણાં, સોરઠને માથે.

ધર ધીંગી, ગરવો ધણી, માઢુ ધીંગામજજ;
નકળંક કેસરી નીપજે, ધીંગા ખોખડધજજ.

નીચી દ્રષ્ટિ નવ કરે, મોટો જે કહેવાય,
સિંહ લાંઘણો કરે, પણ ખડ નૅ એ ખાય.

લાંઘણ હો તો લાય, મગદળ કુંજર મારવા;
ઈ ખડ નો ખાય, સાચું સોરઠિયો ભણે.

સાદુળો પિંજર પડયો, ભૂલે ન આપ સ્વભાવ,
જદ જદ અવસર સાંપડે, બેગણો ખેલે દાવ.

કંથ મ જાઓ કવલખે, સિંહ છેડયો મ જાય,
સિંહણજાયો છેડતાં, વડી વમાસણ થાય.

તું જાયો સિંહણ તણો, કેવાણો સિંહણકંથ;
ભડ ભારથે ભીડતા, પગ પાછો ન ભરે પંથ.

ડાલામથ્થો ને દશહથ્થો, જબરી મોઢે મૂછ;
સવા બે હાથનું પૂંછ, વકરેલો વનનો ધણી.

ગેલી સિંહણ બાવરી, એહા સિંહા કેરી સીમ,
ઝાડ ગળા સો ગળ રહે, એવું વન છોડણ નીમ.

સસલા, તેતર, નાર, વગડે જઈ તગડે બધા,
પણ સાવજ તણા શિકાર, કોક'જ ખેલે રાજિયા.

પોતાના પગ ઉપરે, જેને ભરોસો ઘણો,
સાવજ ન સંઘરે, કાલનું ભાતું કાગડા.

સતી ને શુરની માતા, સંત ને ભકતની પ્રસુતા;
કેસરી સિંહની જનેતા, તને નમન સૌરાષ્ટ્રની ધરણી.                     

સિંહનું વર્ણન ||

ચારણા ખાડું ચારતા , હાલી દોહા હોડ
ડોબા મચવે દોડ, કાળ ભાળતા કેસરી
-કવિ ધાર્મિકભા ગઢવી

|છંદ નરાચ|

કરાલ ચાલ કેશવાળ કાળ હાલતા વને
ઝળાહળા ઝળાહળા ઝબૂક નૈન લોચને
ઝનૂન ખૂન અંગ અંગ તંગને મચાવતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા

હરા ફરા રફા દફા જટા છટા વધારતી
દરેક એકલી સુવાસ છેક હાક નાખતી
ડગે પહાડ ત્રાડથી શિલા ઘણી પછાડતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા

તકેદ રાજમાં રખે સખે સુતો નહીં કદી
ગરાસ પાસ રાખતો નજીકમે જહા નદી
ધરાર ખાર માર માર હાર ના સ્વિકારતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા

વિચાર વાર ના દયા ખતા રતી મ રાખતા
શિકાર ઠાર મારવા તરાપ એક મારતા
લગાર વાર વાગતા જરા ન જીવ જાગતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા

વના બધા જગાડતા ઘટા ગુફા ગજાવતા
મિરાત દાંત નોર જોર રાતમાં બતાવતા
સવાર હાર માનતા નિશા ફરી ધુજારતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા

અવાજ ભો ભરી શરીરથી કરી ડણંકતા
કદી વળી લડી મરી ધરા રુધીર રંગતા
નમે નહીં ખમે નહીં મહીં મહીં જ મારતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા

શરીરથી અમીર તે ખમીર તે રુધીરથી
મહી પરે કદી સહી જવાય કેમ વીરથી
સજીવ બીવતા બધા સદા રહે સજાગતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા

કમોત માત મારશે બચ્ચા તણી ગરે મળી
રહો ન દૂઝણી કને વને જ નાખશે હણી
લગીર ગીર દૂર છે હજાર વાર ભાળતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા     
                  -ધાર્મિકભા ગઢવી

બજારું જે નર બન્યા એની
બજારે જ કિંમત હોય,
હાથી વેચાય હાટડે, પણ
સાવજ ન વેચાતો હોય.
જટાળો સાવજ જમે,

આઠ દિ'એ એકવાર,
દિનમાં દસવાર તમે
દાબડ્યા ભોજન દાદભા.
વધેલું વેરી દેય,

સંઘરે નહી તલભાર,
અમીના લ્યે ઓડકાર,
ડાઢાળો સાવજ દાદભા.
           
    કવિ દાદના સિંહ વિશે દુહા:

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...