મુખ્ય સામગ્રી પર જાઓ

સ્ત્રીઓ દેદો શા કારણે કુટે છે....તેનાં પાછળ એક આહીરનો ભવ્ય ઇતિહાસ

મોળાકત વ્રત માં શા માટે દેદો કુટવામાં આવે છે..? નથી જાણ તો જાણો આ વાર્તા દ્વારા.

સુલતાન મહમદ બેગડાએ ઈ.સ. 1468 મા જુનાગઢ પર ચડાઈ કરતાં રા'માંડલીકે તેનો એક વિર પુરુષની જેમ મુકાબલો કરતાં જુનાગઢ નો કિલ્લો કબજે કરવાનુ કામ મહમદ બેગડા માટે ખુબજ કઠીન થય ગયું હતુ આથી કંટાળેલા કટ્ટરપંથી બાદશાહે સોરઠની પ્રજા પર અમાનુષી કેર કરવાનુ ચાલુ કરતા ખેતરો ઉભા પાક સાથે ગામોના ગામ સળગાવવા, લોકોના પશુધન તેમજ ઘરબાર લુટવા, મંદીરો તોડી લોકોને બે રહમ કતલ કરવી તથા જુવાન તથા કુંવારી કન્યાઓને ઉઠાવી લશ્કરના હવાલે કરવા જેવા અધમ અત્યારથી પ્રજા ત્રાહીમામ પોકારી ઊઠી હતી   આવા જોર જુલમ વચ્ચે મુસ્લિમો એ અર્થીલા (હાલનું લાઠી) કબજે કરી રૈયત પર અત્યાચાર આચરતા જે આડે આવ્યા તેને મોતને ઘાટ ઉતારી ગામ લુટ્યુ હતુ. અખાત્રીજના દિવસે અર્થીલા પર ચડી આવેલા મુસ્લિમોને આ સમયે અખાત્રીજના દિવસે આહિરો ના સમૂહ લગ્ન નો દિવસ હોય ગામમાં રહેતા કેટલાક આહિરો લગ્નમાં મા બહારગામ ગયા હોય મુસ્લિમ સેનાની જલાલુદીને લાઠી લુટી ગામની કુંવારી કન્યાઓને દરબારગઢમાં નિર્વિધ્ને પકડી પકડીને ભેગી કરતાં છોકરીઓ એ યવનોના અત્યાચાર સામે રોકકળ કરી મુકી હતી    લાટી પર મુસ્લિમોના હુમલા થી અજાણ આહિર યુવાન દેદો પોતાના ઘોડા પર ચડી કેડે લટકતી તલવાર સાથે લાઠી ગામની ઉજ્જડ બજારમાંથી નવાઈ સાથે આગળ વધતાં તેના કાને દરબારગઢ માંથી સ્ત્રીઓ ના રુદન નો અવાજ સંભળાયો    અવાજ સાંભળતાં દેદા આહીરે દરબારગઢની બારીમાંથી ડોકીંયા કરતી યુવાન કન્યાઓ પાસેથી તેમની આપવીતી સાંભળી એકલવીર દેદા આહીરે પોતાના ખંભાના જોરે દરબારદરબનો તોતીંગ દરવાજો તોડી મુસ્લિમ સૈનિકો ને મારી ભગાડી લાઠી ની બેન દિકરયું ને છોડાવી હતી   દેદા આહીરની વીરતા ભરી વાતની જુનાગઢનો ઘેરી ઘાલીને પડેલા મહમદ બેગડાને જાણ થતાં તે કાળજાળ થતો જુનાગઢના રાજા રા' સાથે સમાધાન કરી લાઠી પર ચડી આવ્યો હતો   લાઠીને ઘેરો ઘાલી પડેલા યવનસેના સામે દેદા આહીરે ગઢ માંથી બહાર નીકળી કેસરીયા કરતા બંને હાથથી તલવાર વીંઝતો દેદો આહીર અનેક મુસ્લિમોના માથા વાઢતા આગળ વધી રહ્યો હતો ત્યારે દુશ્મનો એ તેનુ માથુ વાઢતા તેનુ ધડ લડી રહ્યુ હતું.    દેદા આહીરનુ ધડ લડતું જોય દુર હાથી પર બેઠેલો મહમદ બેગડો આ દ્રશ્ય જોઈ ભય પમતો સેના સાથે જીવ બચાવતો લાઠી ના પાદર માંથી ભાગ્યો હતો   દેદા આહીરની વીરતા ભરેલી શહીદી પર આમેય સૌરાષ્ટ્રની કુંવારી કન્યાઓ તેના રુણમાંથી મુક્ત થવા દર વર્ષે અષાઢી પુનમના દિવસે દેદો કૂટી આ અમર શહીદને શ્રદ્ધાંજલી આપે છે   લાઠી ગામમા આવેલી દેદા આહીરની ખાંભી તથા માંડલીક મહાકાવ્ય આ વિર પુરુષની વિરતાની સાક્ષી પુરે છે

જય હો અમર શહીદ આહિરદેદા બાપા
જય મુરલીધર

આ ઇતિહાસ જયંતીભાઈ આહિર લેખીત પુસ્તક ''આહિર કથામૃત'' યદુવંશીઓનો ઈતિહાસ માંથી લીધેલ છે
🙏જયમુરલીધર🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...