મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

રંગ માણકી

ઘોડીને ઘોડેસવાર :- “રંગ ઘેાડી – ઝાઝા રંગ !” ઘોડી ને ઘોડેસવાર ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર ક્યાં જતા હશે ? જવાબ મળે છે કે, બીજે ક્યાં જાય ? – બેમાંથી એક માર્ગે : કાં પોતાની મૃગનયની સ્ત્રીને મળવા, ને કાં સંગ્રામમાં ખડગ વીંઝવા; કાં પ્રેમપંથે ને કાં શૌર્યપંથે. કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર, સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર. પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સરજ્યાં છે : કોઈ તેજી ઘેાડો, કોઈ શુરવીર પુરુષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણી નારી. ત્રણેનો મેળ પ્રભુ જ મેળવી શકે છે. ભલ ઘોડા, વલ વંકડા, હલ બાંધવા હથિયાર, ઝાઝા ઘોડામાં ઝીંકવા, મરવું એક જ વાર. ભલા ઘોડા સવારી કરવાના હોય, શિર પર વાંકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય, પછી બહોળા શત્રુ-ઘોડેસવારો પર ત્રાટકવાનું હોય, તો પછી ભલે મોત આવે – મરવું તો એક જ વાર છે ને ! મેથળી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડનાં ઘોડાંની વાતો મંડાણી હતી : કોઈ માણકીનાં વખાણ કરતું ...

પાબુજી ધાધલની કેશર કાળવી ના દુહાઓ

🐎⚔️🐎⚔️🐎⚔️🐎⚔️🐎⚔️🐎 *પાબુજી ધાધલ ની કેશર કાળવી* * કાઠી ક્ષત્રીય ના ધાધલ કુળ ના પુર્વજ શ્રી પાબુજી ધાધલ ની ઘોડી નુ આદ્ધભુત વર્ણન્ન  (આઇ દેવલ, એમની દેવાંગી ઘોડી અને પાબુપીર ની વાતો રાજ્સ્થાન ,ક્ચ્છ અને કાઠીયાવાડ મા ખુબ પ્રચલીત છે.) {પાબુ હડબુ,રામદે,ગોગાદે જેહા; પાંચો પીર સમપંજો ,માંગલીયા મેહા.} પાંચ હીંદવા પીર પાબુજી ,હડબુજી ,રામદેવજી અને જેહાજી.આ પાંચ પીર માથી ચાર સાથે સાથે ઘોડા ની વાર્તા જોડાયેલી છે) જેમાની એક પાબુજી રાઠોડ અને કાળવી કેસર - *સમળી રુપ સજાય,કુકી દેવલ કાંગરા; જાયલ ગાયાં જાય ,કોં બાપુ ચઢશો કરાં?* ચૌદ મા સૈકા ની વાત માવતર છોકરા રજળતા મેલે ને ગાયુ મકોડા ભરખે એવો કારમો દુકાળ કચ્છ મા પડ્યો.કચ્છ ના ચારણો નુ એક મોવાડુ આઇ દેવલ કાછેલી ના મોવડી પણા હેઠળ પોતાના માલઢોર લઇને મારવાડ મા ઉતર્યુઃ આઇ દેવલ પાસે એક જાતવાન દેવાંગી ઘોડી અબનુસ જેવો વાન , ચારે પગ ધોયેલા અને કપાળે ધોળુ ટીલુ . મારવાડ મા તેદી રાઠોડો ના બેસતા રાજ. રાવ સિયા ના દિકરા રાવ અસ્થાતા ને રાવ ધુહડ અને ધાધલ એમ બે દિકરા. આ રાઠોડ ધાધલ ને બે દિકરા મોટા તે બુઢોજી અને નાના તે પાબુજી. અને એક દીકરી હતા તે જાયલ ના ખી્ચી જિંદરાવ...

स्वर शक्ति Swar Shakti સ્વર શક્તિ

जय रूपल जगदम्ब https://www.youtube.com/channel/UCNvgM5kfNhe29tEiCUA2kRQ *🔱જય માતાજી🔱* *👨‍👩‍👧‍👦જો તમે મારુ*  *📡ચેનલ સબ્સસ્ક્રાઇબ ના કર્યું હોય* *🙏🏻 તો પ્લીઝ* *👆🏻સબ્સ્ક્રાઇબ કરી* *🔔નોટિફિકેશન બેલ દબાવીને* *📲આ લિંક તમારા બીજા વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરો* *🙏🏻આભાર🙏🏻* *આ રહ્યા સ્વર શક્તિ ચેનલના નવા વીડિયો અપડેટ્સ*  *(૧) વિજય ગઢવી.. કોટી વંદન તમને સૂંઢાળા* https://youtu.be/Z3moIjCumRg *(૨) વિજય ગઢવી.. સાધુને સન્યાસી રે*  https://youtu.be/37EMnC8bmmk *(૩) જુગલબંધી ભાગ-૧ પરસોત્તમ પરી અને હરસુખ ગીરી સંતવાણી* https://youtu.be/lHzPQoQmjPo *(૪) જુગલબંધી ભાગ-૨ પરસોત્તમ પરી અને હરસુખ ગીરી સંતવાણી* https://youtu.be/yfhKSjn-NTA *(૫)જુગલબંધી- પ્રભાતિયાં પરસોત્તમ પરી અને હરસુખ ગીરી સંતવાણી* https://youtu.be/aAwgc8DEo0o *(૬) વિજય ગઢવી લાઈવ સંતવાણી* https://youtu.be/_iuv-QGdtUA *(૭) જગમાલ બારોટ અને ભનુ ઓડેદરા જુગલબંધી* https://youtu.be/zrK9fQ-l3ro *(૮) રાજભા ગઢવી જામજોધપુર લાઈવ ડાયરો* https://youtu.be/NHv4Eq45m4k *(૯) વિજય ગઢવી ચારણી ચરજ* https://youtu.be/eBKlPTpok4k

ગંગા અવતરણ

વંશ ગોત્ર – ઈશ્વાકુ વંશ પિતા – રાજા દિલીપ રાજ્ય શાસન – અયોધ્યા અન્ય વિવરણ – ગંગા ભગીરથની પુત્રી હતી એટલે જ એને ભાગીરથી કહેવામાં આવે છે યશકીર્તિ – ભગીરથ પોતાના અતૂટ તપસ્યાના બળથી ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતારી યજ્ઞ – ભગીરથે ૧૦૦ અશ્વમેધ યજ્ઞ પૂર્ણ કર્યાં હતાં અન્ય જાણકારી – સગરના પૌત્ર રાજા ભગીરથે ૧૦૦ અશ્વમેધ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું …….પોતાનાં આ મહાન યજ્ઞ પૂર્ણ થયાં બાદ એમણે ગંગાના કિનારે બે સુવર્ણ ઘાટ બનાવડાવ્યા હતાં. ભગીરથ અયોધ્યાના ઈશ્વાકુ વંશના રાજા હતાં. એ અંશુમાનના પૌત્ર અને રાજા દિલીપના પુત્ર હતાં. સગર પછી એમનો પુત્ર અંશુમાન રાજા થયો અંશુમાન પોતાનાં પુત્ર દિલીપને રાજ્ય ભાર સોંપીને ગંગાને પૃથ્વી પર લાવવાંની ચિંતામાં રહેતાં હતાં. એમણે ઘોર તપસ્યા કરીને પોતાનું શરીર ત્યાગી દીધું. રાજા દિલીપને ગંગાને પૃથ્વી પર લાવવાનો કોઈ માર્ગ સુઝ્યો નહીં અને કોઈ વિચાર એમને એ બાબતમાં સુઝ્યો નહીં અને એમા ને એમાં એ બીમાર પડી ગયાં અને સ્વર્ગ સિધાવી ગયાં. રાજા ભગીરથ સામે પોતાનાં પિતામહનું વચન અમે પોતાના પિતાનું તપ હતું. અને એમણે મનોમન તપ કરવાનો નિશ્ચય કયો !!!! પોતા...

આઈ જાહલ અને લાધવો કુછડીયો

ધર્મ ની બેન ભાઈ ની અમર કથા.. ચારણજગદંબા જાસલઆઈ અને તેમનો ધર્મ નો માનેલ ભાઈ મહેર જવાંમર્દ લાધવા કુછડીયા નો સત્ય પ્રસંગ                "આ તેજણ તરસે તરસે તલવલાંસ, થાળામાં બે કળહા પાણી નાખાંસ બીન ?” (આ તેજણ ઘોડી તરસે ટળવળે છે થાળામાં બે કળશિયા પાણી નાખીશ, બહેન?)            “ભલેં, નાખાંસ, ભાઈ !”              તેજણની તરસ છીપી ત્યાં લગી પનિયારીએ સીંચી સીંચી થાળામાં પાણી ઠલવ્યું, તરસ છીપતાં ઘોડીએ મેાં ઊંચું કરી જોરથી હણહણાટી નાખી, કેમ જાણે એના ધણીને સાન કરતી હોય કે “હવે હું તૈયાર છું !”        તેજણનો અસવાર તે કૂછડીનો મેર લાધવેા હતો. લાધવો બારાડીમાં પોતાના સગાને મળવા ગયેલો તે આજે કૂછડી ભણી પાછો વળ્યો હતો, રસ્તો કાટવાણા પાસ થઈને પસાર થતો હતો તેથી અત્યારે તે કાટવાણાના પાદર સુધી આવ્યો હતો, અને તરસી થયેલી ઘોડીએ જોર કરી અસવારને ડેરવાવ તરફ લાવતાં તે વાવની નજીક આવ્યો હતો. તે સમયે પાણી ભરવા આવેલી પનિયારી તે ચારણિયાણી જાસલ હતી, અને તેને અસવાર સાથે ઉપર પ્રમાણે વાતચીત થઈ હતી.   ...

બજરંગદાસ બાપા

--: શ્રી બજરંગદાસ બાપા ની ૧૧૩ મી જન્મજયંતિ :----- આજથી બરોબર ૧૧૧ વર્ષ  પહેલાં વિ.સં ૧૯૬૨ આસો વદ ચૌદસ(કાળી ચૌદસ),તા.૧૬-૧૦-૧૯૦૬,મંગળવારના રોજ માતા શિવકુંવરબા ની કુખે બાળકનો જન્મ ઝાંઝરીયા હનુમાન મંદિર,લાખણકા મુકામે થયો હતો.તેમનું બચપણ નું નામ ભક્તિરામ હતું.તેઓની જ્ઞાતી રામાનંદી સાધુ હતા.તેમના ગુરૂ શ્રી સીતારામબાપુ ખાખી હતા.આગળ જતાં હિન્દૂ સનાતન ધર્મમાં પરમ પૂજય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા તરીકે જગવિખ્યાત થયા. શ્રી બજરંગદાસ બાપા એ બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવ મંદિર પાસે ઇ.સ.૧૯૫૯ માં આશ્રમ સ્થાપેલ.ઇ.સ.૧૯૬૧ માં તેમણે સદાવ્રત ચાલુ કર્યું હતું.શ્રી બજરંગદાસ બાપા આધ્યાત્મિક,ધાર્મિક અને એક સાચા દેશપ્રેમી હતા.તેમણે ઇ.સ.૧૯૬૧ માં વિનોબા ભાવેના ભુદાન યજ્ઞ માં છ વિઘા જમીન દાન આપી હતી.ઇ.સ.૧૯૬૨ ના ચીન સાથેના યુધ્ધ વખતે તેમના આશ્રમની હરાજી કરી આવેલ રકમ વડાપ્રધાન ભંડોળમાં દાન કરેલ.૧૯૭૧ ના પાકિસ્તાન સામેના યુધ્ધ વખતે રૂ.૩૦૦૦૦/-નુ દાન કરેલ.શ્રી બજરંગદાસ બાપા વારંવાર સીતારામ બોલતા હોવાથી તેઓ "બાપા સીતારામ"તરીકે જગવિખ્યાત થયા.આવા મહાન દેશપ્રેમી અને સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા ...

રાત રાણેસર રિયા

સૌરાષ્ટ્ર ની રસધાર                  પિંજરાનાં પંખી(કમળ પૂજા) સં. ૧૯૬૭ના અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી* તાલુકાના કોઈ પણ તુંબેલ ચારણ જયારે ભેટી જાય છે ત્...