મુખ્ય સામગ્રી પર જાઓ

બજરંગદાસ બાપા

--: શ્રી બજરંગદાસ બાપા ની ૧૧૩ મી જન્મજયંતિ :-----
આજથી બરોબર ૧૧૧ વર્ષ  પહેલાં વિ.સં ૧૯૬૨ આસો વદ ચૌદસ(કાળી ચૌદસ),તા.૧૬-૧૦-૧૯૦૬,મંગળવારના રોજ માતા શિવકુંવરબા ની કુખે બાળકનો જન્મ ઝાંઝરીયા હનુમાન મંદિર,લાખણકા મુકામે થયો હતો.તેમનું બચપણ નું નામ ભક્તિરામ હતું.તેઓની જ્ઞાતી રામાનંદી સાધુ હતા.તેમના ગુરૂ શ્રી સીતારામબાપુ ખાખી હતા.આગળ જતાં હિન્દૂ સનાતન ધર્મમાં પરમ પૂજય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા તરીકે જગવિખ્યાત થયા.
શ્રી બજરંગદાસ બાપા એ બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવ મંદિર પાસે ઇ.સ.૧૯૫૯ માં આશ્રમ સ્થાપેલ.ઇ.સ.૧૯૬૧ માં તેમણે સદાવ્રત ચાલુ કર્યું હતું.શ્રી બજરંગદાસ બાપા આધ્યાત્મિક,ધાર્મિક અને એક સાચા દેશપ્રેમી હતા.તેમણે ઇ.સ.૧૯૬૧ માં વિનોબા ભાવેના ભુદાન યજ્ઞ માં છ વિઘા જમીન દાન આપી હતી.ઇ.સ.૧૯૬૨ ના ચીન સાથેના યુધ્ધ વખતે તેમના આશ્રમની હરાજી કરી આવેલ રકમ વડાપ્રધાન ભંડોળમાં દાન કરેલ.૧૯૭૧ ના પાકિસ્તાન સામેના યુધ્ધ વખતે રૂ.૩૦૦૦૦/-નુ દાન કરેલ.શ્રી બજરંગદાસ બાપા વારંવાર સીતારામ બોલતા હોવાથી તેઓ "બાપા સીતારામ"તરીકે જગવિખ્યાત થયા.આવા મહાન દેશપ્રેમી અને સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા ૭૧ વર્ષનું આયુષ્ય ભોગવી તા.૯-૧-૧૯૭૭,રવિવાર,વિ.સં ૨૦૩૩ પોષ વદ ચોથના રોજ પરલોક સિધાવ્યા.બજરંગદાસ બાપા ની સદાય જયજયકાર હો.

સૌ પ્રેમથી બોલો જય બાપા સીતારામ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

બચુભાઈ શ્રીમાળી રચિત માતાજીનું સપાખરૂ

॥ જગદંબા સ્તવન ॥    ગીત:~સપાખરુ અંબા અચંબા પ્રલંબા , તેજ બંબા જગદંબા, આદિ વાસ હે તવમ્બા , દશે દિકંબા વ્રદાઇ . શકમ્બા સદંબા શુભમંબા , સ્વાવલંબા શિવા , વેદે તું વિદંબા , સચ્ચિદંબા વખણાઇ .~૦૧ નિપાવ્યા ભ્રેમંડા અંડા , નારાયણી નવેખંડા, માર દીયા ઉદંડા કુ , દંડા દઇ માત . ઠારીયા દાનવા બંડા , કરીયા ઘમંડા ઠંડા , રોપિયા અખંડા નામ , ઝંડા રળિયાત .~૦૨ ભગતા તારણાં , તું ઉતારણા ભારણાં ભૂમિ , કારણાં જગત દુ:ખ . હારણાં કુશલ . મારણાં અસુર લીયે , ચારણાં ઓવારણાં માં , રાખ્યે ધારણાં , બંધાવે પારણાં રાંદલ .~૦૩ મહાખલ દૈત્ય બુરા , ચુરા ચુરા કીયા મુરા , મુગુટ મયુરા , વ્રજ મથુરા મુકામ . રણછોડ રણશુરા , મંગલ મધુરા રટે, નિત ઝળહળા નુરા , આશાપુરા નામ .~૦૪ ચારવાણી ચારખાણી , પરખાણી ચરચાણી , વેદવાણી પુરાણીયે , વખાણી વિશાળ . મેરિયા ભુવાને , પુત્ર જાણી દયા આણી મળી , પ્રગટ બ્રહ્માણી , નાણી બુટ પરચાળ . ~૦૫ માડી તું સરિતા વૃંદા , મંદાકિની વંદા માત , નંદા તું અલક નંદા , મહા નંદા નામ . ફાલગુની ગુણ છંદા , ગાતા કટે ભવફંદા , હેતે હર્ષ કંદા પુરે , હરસંદા હામ .~૦૬ અખીયાત રટુ બાત , હજ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...