મુખ્ય સામગ્રી પર જાઓ

Isara So Parmeswara

મહાત્મા ઇસરદાસ

જન્મ વિક્રમ સંવત ૧૫૧૫ શ્રાવણ સુદ બીજ

મહાત્મા ઇસરદાસજીનો જન્મ મારવાડના ભાદ્રેશ ગામમાં વિક્રમ સંવત ૧૫૧૫ માં શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે થયો. તેમના પિતા સુરાજી અને તેમના માતૃશ્રી સરળ સ્વભાવના અને પ્રભુ પરાયણ વૃત્તિ ધરાવતા હતા. તેઓ સાદુ અને સંસ્કારી જીવન જીવનારા હતા. સુરાજીના ભાઇ આશાજી લક્ષ્મણજી તરફ અનન્ય શ્રધ્ધા અને ભક્તિ ધરાવતા હતા. સાંસારિક તકલીફોમાં પણ સુરાજી સમતા રાખી શાંત ચિત્તે પ્રભુ સ્મરણ કરતા હતા.

એક એવો પ્રસંગ કહેવાય છે કે ખેતરમાં કામ કરતામજૂરો માટે સુરાજીએ બનાવેલી રસોઇ સુરાજીના પિતરાઇઓની ખટપટને કારણે મજૂરો કામ પર ન આવતા બગડે તેમ હતી. તેજ સમયે મહંત જ્વાલાગીરીજીની જમાત જે જોગાનુજોગ ગામમાં હતી તેમને ભાવપૂર્વક નિમંત્રણ આપીને સુરાજીએ ભોજન કરાવ્યું. સંત જ્વાલાગીરીજીને આ ઘટનાની વિશેષ જાણકારી મળતા તેમના દયાળું સ્વભાવને કારણે સુરાજીના પિતરાઇ ભાઇ ગુમાનદાનજીને સમજાવવા પ્રયાસ કર્યો.ગુમાનદાનજીએ તેમની તામસી પ્રકૃતિને કારણે સંતની વાત કાને ધરી નહિ અને તેમને ખૂબજ અપમાન જનક શબ્દો કહ્યા. તેમણે ઇસરદાસજી અપુત્ર હોવાથી તેમની તમામ મિલ્કત પોતાને જ મળવાનો હુંકાર પણ કર્યો. એમ કહેવાય છે કે સંત જ્વાલાગીરીજીએ આ સમયે સુરાજીને ત્યાં પુત્ર તરીકે જન્મ લેવાનું નક્કી કર્યું અને તે પ્રમાણે વરદાન સુરાજીને આપી ત્યાંથી પ્રયાણ કર્યું.

સુરાજીએ પુત્ર જન્મને ઇશ્વરના આર્શીવાદ તથા સંતનો અનુગ્રહ સમજી તેના નામકરણ સંસ્કાર કર્યા. ઇસરદાસજીના જન્મ પછી તેમના પિતાજીની ઉન્નતિ થવા લાગી. ઇસરદાસજીને કાવ્ય અભ્યાસ કરાવવામાં તેમના કાકા આશાજીનો ઘણો મોટો ફાળો હતો. આશાજી પણ લક્ષ્મણજીના પરમ ઉપાસક હતા અને સાહિત્યમાં તેમની ઊંડી સૂઝ હતી. ઇસરદાસજીના લગ્ન દેવલબાઇ સાથે થયેલા. જેઓ ખૂબજ સંસ્કારી સ્વભાવના હતા. ઇસરદાસજીનો તેમના કાકા આશાજી સાથેનો ગીરનારનો પ્રવાસ એક ઔલોકિક ચમત્કારરૂપ બન્યો હોય એમ કહેવાય છે. લક્ષ્મણજીએ તેમને ગીરનારના દર્શન આપીને ભક્તિ અને જ્ઞાનના ઉચ્ચતમ શીખરોનું દર્શન કરાવ્યું અને આ માર્ગે તેમની સતત ઉન્નતિ થાય તેવા આર્શીવાદ આપ્યા.

તેમના જીવનની બીજી એક વાત કે જેના કારણે તેમના જીવનને એક નવો વળાંક મળ્યો તે પણ પ્રચલિત છે. જામરાવલની કચેરીની ઇસરદાસજીની મુલાકાત વખતે તેમના કાવ્ય વૈભવથી મહારાજા સહિત સૌ દરબારીઓ પ્રસન્ન થયા.પરંતુ એક વિચક્ષણ અને વિદ્વાન ભૂદેવે તેમને સંસારીઓની સંગત છોડી ઇશ્વરનો ગુણાનુરાગ કરવા માટે કલમ ઉપાડવા પ્રેરિત કર્યા. શ્રી પિતાંબર ભટ્ટ નામના આ પવિત્ર તથા સંસ્કારી ભુદેવના અમૂલ્ય  ઉપકારનું ઋણ સ્વીકારીને ભક્તકવિએ તેમને ગુરૂપદે સ્થાપેલ છે. પરમતત્વની ઉપાસનાના માર્ગે હવે તેઓ પોતાની કવન શક્તિ વાળે છે.

ઇસરદાસજીનાજીવન સાથે ઘણી બધી લોકોકિતઓ જોડાયેલી છે. આ બધી કીવદંતીઓને જોઇએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે તેમની વ્યક્તિગત પ્રતિભા તથા પ્રખર કાવ્ય શક્તિને તે કાળમાં ઘણો બધો આદર અને અહોભાવ મળ્યા હતા.

ક્ષત્રિયો વચ્ચેના બીનજરૂરી સંઘર્ષો ટાળવાના તેમના પ્રયાસો પણ નોંધપાત્ર છે. ઇસરદાસજીના બીજા લગ્ન રાજબાઇ સાથે થયા. જેઓ તેમના પ્રથમ ધર્મપત્નિનો બીજો અવતાર હોવાનું કહેવાય છે. ઇસરદાસજીના વંશજો ઇસરાણી-બારહટ્ટ તરીકે ઓળખાય છે.

જય શ્રી કૃષ્ણ જય માતાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...