મુખ્ય સામગ્રી પર જાઓ

શામળા ના દુહા

કૃષ્ણચરિત્રના દુહા

કવી :- ગઢવી શ્રી પાલરવભા દેવાણંદભા પાલિયા
( લાલકા )

( 01 ) ગાતા આવે ગ્રાંધવ, સાધુ જેને સમરાથ,
વીસ ધજાળું વિમાન, સામુ મેલે શામળા...

( 02 ) ધણી સૂતો નઇ ઢોલિયે,પંડયની પથારીએ,
કુબજાને કુબે કાંઉ, સખ વાહયા શામળા...

( 03 ) પગ બટુકી, ટૂંકી નળી, લમણે ઝાઝી લીખ ;
એથી તો ભલા ઉધરા, ભવો માગીએ ભીખ...

( 04 ) ભલી હોય ભંગડી, સરાયે ઇથી સરદાર ;
કાળીશે કીરતાર, સાપેય સુંઘે નઇ શામળા...

( 05 ) કાળીને પરણે કમળ ! વરવી ને ટૂંકા વાળ ;
( તું ) ખરો ખેતરપાળ, સાચું ભણું છું શામળા...

( 06 ) પદમણ રાધા પરવરી, કુબજા વશ થયો કાન ;
ભૂલી ગયો ભગવાન, સંબંધ રાધાનો શામળા...

( 07 ) મથુરાં જઇ તું માલતો, કેતાય વૈભવ કાન ;
( અને ) ભૂલી ગ્યો ભગવાન, સંબંધ માસીનો શામળા..

( 08 ) મથુરાં જઇને મા'લતાં, કુબજા વશ થયો કાન,
( વળી ) ભૂલી ગ્યો ભગવાન, સંબંધ મામાનો શામળા...

( 09 ) પારથ ને ભીષમપિતા, જૂટયા બે જબરાણ ;
( ત્યારે ) ભૂલી ગ્યો ભગવાન, સત નિજ વચન શામળા...

( 10 ) મારા ગુના, માધવા ! જા ભૂલી જદુરાણ ;
( તો ) ભૂલકણો ભગવાન, સાચુકલો તું શામળા...

( 11 ) સોળ સેં ગોપી સામટી, ( તોય ) બ્રહ્મચારી ભણાય ;
( વળી ) ગોપીનાથ ગણાય, ( એનું ) શું કારણ છે ? શામળા...

( 12 ) ભાગેડૂ તું ભૂધરા, લૂંટારો તું લખવાર ;
( તો'ય ) કેવો પડે કિરતાર, શું કારણથી ? શામળા...

( 13 ) ધાગા સાટે ધૂપતીને
( તેં ) સાવટ પૂર્યા ચીર ;
( એવો ) વેવારૂ છો વીર, સાચો શેઠ તું શામળા...

( 14 ) ( મારી ) અંતવેળાએ એંકલો, નટવર આવીશ ના ;
મોળી રાધા મા, સાથે લાવજે શામળા...

( 15 ) પ્યારા કાગળ પ્રેમનો, વાંચી તું વ્રજરાજ ;
આ અંતરઘટની આજ, સાંભળ્ય અરજી શામળા...

( 16 ) ગોકળીયું ગમતું નથી, જમના ખારી ઝેર ;
વાલા સાથે વેર, ( તેં ) સીદ કરાવ્યું શામળા...

( 17 ) ગોકુળમાં ગારા તણા, ઘર હતા ઘનશ્યામ ;
( હવે ) ધજબંધ સુવર્ણ ધામ, સાંપડયા તુંને શામળા...

( 18 ) મેડી, મંદીર અને માળીયા, બાગ ફૂલ બહાર ;
મળતાં વેત મોરાર, ( તું ) છૂપયો અમથી શામળા...

( 19 ) ના આવી બાવા નંદની, મોબત તને મોઢાની ;
( આ ) લોભેય લોઢાની, છાતી કીધી તે શામળા...

( 20 ) ગોપ તળાવે ગોપીયું, ભેળીયું થયું ભગવાન ;
સી ( ચી ) ર હરેન શામ, સંતાઇ જાતો શામળા...

( 21 ) દામેણી ન દાગવી, મેં ઓધા માધા ;
શા સારૂં સગા, સામું ન જો શામળા...

( 22 ) સરગાપરનું શૈર, નસે ભાળ્યું નજરે ;
માધવ કરીને મૈર, ( તું ) સામો હાલ્ય શામળા...

( 23 ) ગોબર ભરેલી ગોપીયું, ( તે ) એના એઠા ખાધેલ અન્ન ;
માવા તારા મન, ( કોઇ દી ) મોટા ન હોય માવજી...

( 24 ) કૃષ્ણની જે બંદગી કરે, નર જીભાતે નાર ;
( એની ) દજડ જાય દરિયા પાર, સીંધના કેડે શામળા...

( 25 ) નંદને ઘેર નાથજી, અવતરીયાતા આપ ;
બાળપણમાં બાપ, ( કેદી ) સખણા રહ્યાં શામળા...

( 26 ) વાંસળીયે વળુંભતી, નવલખ ધેનું નાથ ;
( એની ) હરિવર તારે હાથ, શુધય લેતો નથી શામળા...

( 27 ) પગમાં ખલકનાં પતિ, જોને બળતીસાં ઝાળ ;
ભાળવા જાશ ભૂપાળ, શેત્રુંજાને શામળા...

( 28 ) મૈયારી થઇ મહી વેચવા, જાતી હતી જે ;
( એને ) આડફેરે આવી, સંતાપેલ તેં શામળા...

( 29 ) મામો સગો મારવો, કદી ઘટે ન કાન ;
ભૂલી ગ્યો ભગવાન, સંબંધ મામાનો શામળા...

( 30 ) અધરાતે અવતર્યા, ભલકારે ભોપાળ ;
કંસ મામાનો કાળ, સ ભાણેજ તું શામળા...

( 31 ) વળતાને જાતા વાઢવા, જગભલ કરવા જેમ ;
માસીને મામો બેન, સંહાર્યા તે શામળા...

( 32 ) પાડા જોગણીયું પીયે, જેમ દશરે દહીવાણ ;
( એમ ) પૂતનાના પ્રાણ, સોસે ગયો શામળો...

( 33 ) એને ને મારે આગલું, વચન હતું વેર ;
મનમાં આણી ન મેર, પૂતનામાસીની પાલરવ...

( 34 ) રૂખમણી ને રાધકા, નવરા દિની ઘડેલ નાર ;
દાસીને દરબાર, સુવા જાતો શામળા...

( 35 ) કડવા લાગે કૂડીયા, ભૂંડા લાગે ભા;
વાલા વિહામાં, સાચા બોલા શામળા...

ટાઇપ :- ગઢવી અમિતભા કે. પાલિયા
( રૂપાવટી )

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...