~~~ લીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ) ~~~ જન્મ: સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી અંતરસુઝ હતી. લગભગ તમામ સંતો નિરક્ષર અને સંસારી હતા. સંસારમાં રહીને ઈશ્વરની ઉપાસના તેમણે કરી છે. મોટા પંથોમાંથી પ્રેરણા મેળવી અને નાના પ્રદેશોમાં પણ સંતોએ પોતાના પંથ ઊભા કર્યા છે. જે તે પંથકે તેને અપનાવ્યા છે. વિવિધ જાતિઓમાંથી એક બનેલા સૌરાષ્ટ્રના લોકજીવનમાં સ્ત્રીનું સ્થાન સહભાગિનીનું, સહકર્મચારિણીનું હતું. તેમાંય ધર્મ અને ભક્તિના ક્ષેત્રે તો પુરૂષ કરતા તેનું સ્થાન વિશેષ હતું. આવા જ એક મેર જ્ઞાતિના સ્ત્રીસંત એટલે લીરબાઈ. ભારત દેશના ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રના બરડા પંથકમાં આવેલા પોરબંદર જિલ્લાનાં મોઢવાડા ગામ બહારવટિયા નાથા મોઢવાડિયાને કારણે જેટલું પ્રખ્યાત છે એટલું જ જાણીતું છે મેર જ્ઞાતિના તેજસ્વી સ્ત્રીસંતરત્ન લીરબાઈને લીધે. લીરબાઈનાં પિતાનુ નામ લુણો મોઢવાડિયા અને માતાનું નામ લખીબાઈ હતું. આમ તો તે સમયે પરબધામ-તા.ભેસાણની જગ્યાને ચેતાવનાર સંતશ્રી દેવીદાસે મોઢવાડાનાં મેર જ્ઞાતિના જીવણાને કંઠી બાંધી અને તેમાંથ...
Gujrati Sahitya | Apna Purvajo Na Jivan Charitra | ane Satya Ghatna O par aa Blogge che To Pliase Follow karjo Thanks